HomeNationalઆંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ નહીં થાય, આ કારણસર લેવાયો નિર્ણય

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ નહીં થાય, આ કારણસર લેવાયો નિર્ણય

દક્ષિણ આફ્રિકામાં દેખાયેલા કોરોનાના નવા અને ઝડપથી ફેલાતા વેરિયંટ ઓમિક્રોનને કારણે ભારતે તા. 15 ડિસેમ્બરથી નિયમિત ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરુ કરવાના નિર્ણય પર બ્રેક મારી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) તરફથી ટ્વિટર હેન્ડલ પર આ અંગે માહિતી આપવામાં આવી છે.

દેશમાં ગત વર્ષ 2020માં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારથી જ નિયમિત ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ બંધ છે. નવો વેરિયંટ સામે આવ્યા બાદ હાલ જોવા મળી રહેલી વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કોમર્શિયલ ઈન્ટરનેશનલ પેસેન્જર સર્વિસ શરુ કરવાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. યુરોપ સહિત દુનિયાના ઘણા દેશોએ આફ્રિકાથી આવતી ફ્લાઈટ્સ પર નિયંત્રણ મૂક્યા છે. ભારતમાં પણ આફ્રિકન દેશમાંથી આવતા લોકો માટે સાત દિવસનું ક્વોરન્ટાઈન ફરજિયાત કરાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW