હાલમાં મોરબીના ઉંચી માંડલ નજીક આવેલ હેર કટિંગ સલૂનમાં નોકરી કરી ત્યાં જ રહેતા અને મૂળ સુરેન્દ્રનગર વતની ભગવતીપ્રસાદ મખિયાવા ગત તા.25 ના રોજ રાત્રીના હોટલમાં જમીને બાદમાં આશરે રાત્રીના દસ-સાડા દસેક વાગ્યે પાન માવો લેવા માટે રોડની સામેની સાઈડના જવા માટે રોડની સાઈડમાં ઉભા હતા. ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકના પુત્ર રાજદીપભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તે અજાણ્યા ટ્રક ચાલક ફરિયાદ નોધાવી છે.

