મોરબીના લજાઈ ખાતે આવેલા માનવ મંદિરમાં સોરઠ કડવા પાટીદાર પરિવાર દ્વારા તા.-19/05/2024 રવિવારના રોજ સાંજે-4 વાગ્યે મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સાંજે પાંચ વાગ્યે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાશે.પછી સાંજે 7:15 વાગ્યે પુરુષોનો જમણવાર અને 8:15 વાગ્યે સ્ત્રીઓ નો જમણવાર થઇ સમૂહ ભોજન થશે,પછી રાસ ગરબા અને અંતમાં 9:30 વાગ્યે સત્સંગ કાર્યક્રમ યોજાશે.બાદમાં મહા સંમેલન પૂર્ણ જાહેર કરાશે.
આ મહા-સંમેલન માં શ્રી ઉમા ધામ સિદસર,શ્રી ઉમા ધામ ગાઠિલા,શ્રી ઉમા સંસ્કાર ધામ મોરબી,શ્રી માનવ મંદિરના આગેવાનો અને સંતો મહંતો અતિથી વિશેષ તરીકે સંમેલનમાં હાજરી આપશે.

