વાંકાનેર તાલુકાના કેરાળા ગામમાં ગત તા 7 મેં ના રોજ ગામનાઆરોગ્ય ખાતાના સબ સેન્ટરમા પંચાયત મીટીંગ મળી હતી જે મીટીંગમાં ગામના સરપંચ નરગીશબેન આરીફભાઇ બાદી, તેમજ વિવિધ હોદેદારો હાજર હતા તે દરમિયાન સરપંચ નરગીશબેન આરીફભાઇ બાદીએ ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઇ દામજીભાઇ લઢેર સાથે કામગીરી બાબતે બોલચાલી થઇ હતી જે બાદ સરપંચે તેમને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા ભારે ઊહાપોહ મચી ગયો હતો જે બાદ રમેશભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં લેખિત અરજી આપી હતી જે બાદ વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્એધ બાદ એટ્રોસીટી એકટ કલમ ૩(૧)(R)(S) અતર્ગત ગુન્હો નોધી એસસીએસટી સેલના ડીવાયએસપી એમ.આઇ. પઠાણ દ્વારા તપાસ હાથ ધરી હતી.

