કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા નવા રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ પ્રમાણે, દશકાઓથી ચાલી રહેલા એક સતત પરિવાર નિયોજન કાર્યક્રમને કારણે કુલ પ્રજનન દર અથવા પ્રતિ મહિલા બાળકોની સરેરાશા સંખ્યામાં ઘટાડો થયો છે. 2015-16માં રિપોર્ટ કરવામાં આવેલા 2.2થી આગળ વધીને તે અખિલ ભારતીય સ્તેર 2.0 થઈ ગયો.
સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા વિભાજન પ્રમાણે, ઓછી પ્રજનન ક્ષમતાનો અનુભવ કરનારા દેશ પ્રતિ મહિલા 2.1થી ઓછા બાળકોને જન્મ આપી રહી છે. આ એ વાતના સંકેત છે કે એક પેઢી ખુદને બદલવા માટે પુરતા બાળકો પેદા કરી રહી નથી. તેનાથી આખરે વસ્તીમાં એકસાથે ઘટાડો આવ્યો છે. સર્વેક્ષણ શ્રૃંખલામાં પાંચમા એનએફએચએસ 2019-21ના આંકડા શહેરી વિસ્તારમાં પ્રજનન દર 1.6 ટકા અને ગ્રામીણ ભારતમાં 2.1 ટકા દર્શાવે છે. ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટયૂટ ફોર પોપ્યુલેશન સાઈન્સિસના નિદેશક ડૉ. કે. એસ. જેમ્સે એક અખબાસ સાથેની વાતચીતમાંજણાવ્યું છે કે 2નો કુલ પ્રજનન દર દેશમાંલાંબા સમયમાં વસ્તીની સ્થિરતાનો એક નિશ્ચિત સંકેતક છે. ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યૂટ ફોર પોપ્યુલેશન સાઈન્સિસ એનએફએચએસ-5નું સંચાલન કરવા માટે નામિત નોડલ એજન્સી છે.

આ અભ્યાસના મુખ્ય તપાસકર્તા જેમ્સે કહ્યુ છે કે સંખ્યાનો મતલબ છે કે બે માતાપિતા બે બાળકોની જગ્યા લઈ રહ્યા છે. લાંબા સમયમાં આપણી પાસે શૂન્યનો સંભવિત વિકાસદર હશે. આ તાત્કાલિક નથી, 2.1નો ટીએફઆર એક એવી ચીજ છે, જે એક દેશ પ્રાપ્ત કરવા માંગેછે. આ પ્રકારે તે માતૃ અને શિશુ સ્વાસ્થ્ય સુધારાને કારણે એક ઘણો મોટો વિકાસ છે. દેશના ટોચના સાર્વજનિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞોમાંથી એક અને પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ પ્રોફેસર કે. શ્રીનાથ રેડ્ડીએ ટીએફઆરના બે સુધી ઘટવાના ત્રણ મુખ્ય બિંદુઓ પર પ્રકાશ પાડયો છે. પહેલો વિકાસ માટે ઓછો પડકાર, બીજું જાહેર સ્વાસ્થ્ય અને ત્રીજું શિક્ષણમાં કૌશલની સાથે રોકાણનું મહત્વ અને પર્યાવરણ સંરક્ષણ પર ધ્યાન આપવાની જરૂરત. રેડ્ડીએ કહ્યુ છે કે દેશ 2.1ના ટીએફઆરને મેળવવાનું પોતાનું લક્ષ્ય બનાવી રહ્યો છે. 2 પર ઘટવાનો મતલબ છે કે આપણે વસ્તી સ્થિરીકરણના આપણા લક્ષ્યને પ્રાપ્ત કરી લીધું છે. તેનો અર્થ છે કે આપણે કદાચ હજીપણ દુનિયામાં સૌથી વધુ વસ્તીવાળા દેશ બની જઈશું. તેની આશા 2024-28ની વચ્ચે કહી હતી. પરંતુ હવે તેમા વિલંબ થશે. આનો અર્થ છે કે આપણે વિકાસમાં આપણી ઘણી મોટી વસ્તીનો પડકાર ચિંતાનો વિષય નથી.
તેમણે કહ્યુ છે કે સંખ્યા આપણને એ પણ જણાવે છે કે આપણે માનવ સંસાધનોના વિકાસને સ્થિર કર્યો છે. આગામી 2-3 દશકાઓ માટે યુવા વસ્તી પ્રોફાઈલ ત્વરીત આર્થિક વિકાસનો અવસર પ્રદાન કરશે. પરંતુ વસ્તી સ્થિરીકરણ સાથે 2-3 દશકાઓ સુધી યુવા વસ્તીને ચાલુ રાખવી, આપણને ત્વરીત વિકાસ માટે એક મોટો અવસર આપવો જોઈએ- તેના માટેની શરત છે આપણે કૌશલની સાથે જાહેર આરોગ્ય અને શિક્ષણમાં રોકાણ કરીએ. તેમણે કહ્યુ છે કે મહત્વપૂર્ણ વાત એ છે કે હવે આપણે એ નહીં કરી શકીએ કે વસ્તી વૃદ્ધિના કારણે આપણા કુદરતી સંસાધનો પર દબાણ છે. હવે જો આપણે વસ્તીને સ્થિર કરી રહ્યા છીએ, તો વાસ્તવમાં પર્યાવરણની ઉપેક્ષા કરવાનું કોઈ બહાનું નથી. સર્વેક્ષણ પ્રમાણે, ટીએફઆર 2થી વધારે હોય તેવા પાંચ રાજ્યો છે. તેમાં બિહારમાં 3, મેઘાલયમાં 2.9, યુપીમાં 2.4, ઝારખંડમાં 2.3 અને મણિપુરમાં 2.2નો ટીએફઆર છે.