Friday, April 18, 2025
HomeReligionદિવાળી પર અવશ્ય કરો આ કામ, કાયમ લક્ષ્મીકૃપા રહેેશે, ધન કદી ખૂટશે...

દિવાળી પર અવશ્ય કરો આ કામ, કાયમ લક્ષ્મીકૃપા રહેેશે, ધન કદી ખૂટશે નહીં

દિવાળીનો તહેવારનો આરંભ ધનતરેસના દિવસથી જ થઇ જાય છે. આ દિવસે જ દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે, પરંતુ દિવાળી એટલે લક્ષ્‍મી પૂજન. અમાસે રાત્રિના સમયે કાર્તિક માસમાં કરવામાં આવે છે. આ વખતે દિવાળીનો તહેવાર તા. 04 નવેમ્બરે ઉજવવામાં આવશે. શુભ, સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યનો તહેવાર દિવાળી છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે તો આખા વર્ષ દરમિયાન ધન અને ધાન્યની કમી નથી રહેતી.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે માં લક્ષ્‍મી ધરતી પર ઊતરે કરે છે. પોતાના ભક્તોના ઘરે પધારીને તેમને ધન-વૈભવના આશીર્વાદ આપે છે. તેથી માં લક્ષ્‍મીના સ્વાગત માટે દિવાળી પર કેટલાક શુભ કાર્ય અવશ્ય કરવા જોઈએ, આનાથી મા લક્ષ્‍મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

Diwali 2020 Date, Time of Lakshmi Puja, Significance And History

કેરીના પાનનું તોરણ
દિવાળી પર માં લક્ષ્‍મીનું સ્વાગત કરવા માટે લોકો ઘરમાં કલરકામ કરાવે છે અને તેને વિવિધ રીતે શણગારે છે, પરંતુ આ બધા સાથે તેમરા ઘરના દરવાજા પર તોરણ આવશ્યક લગાવવું જોઈએ. દિવાળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર આંબા, આસોપાલનના પાનનું તોરણ બનાવીને લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી માં લક્ષ્‍મી પ્રસન્ન થાય છે.

ફૂલો અને રંગોથી બનાવો સુંદર રંગોળી
દિવાળી પર ઘરના આંગણામાં અને દરવાજા પર રંગોળી બનાવવાની પ્રથા ઘણા સમયથી ચાલી આવે છે. અન્ય તહેવારો પર પણ લોકો પોતાના ઘરે રંગોળી જરૂર બનાવે છે. સમયનો અભાવ કહો કે આધુનિકતા આજના સમયમાં લોકો તૈયાર સ્ટિકરવાળી રંગોળી લગાવવા લાગ્યા છે, પરંતુ માં લક્ષ્‍મીના સ્વાગતમાં ફૂલો અને રંગોથી રંગોળી બનાવવી જોઈએ અને દીવા પ્રગટાવવા જોઈએ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,152FollowersFollow
2,820SubscribersSubscribe

TRENDING NOW