મોરબીમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત શાળામાં શૈલેષભાઇ ભટ્ટ દ્વારા વિધાર્થીને વ્યસન મુક્તિ અંગે વક્તવ્ય આપવામાં આવ્યું અને વ્યસનથી શા માટે દૂર રહેવું તે સમજાવવામાં આવ્યું હતું. તેમજ શૈલેષભાઈ ડેપ્યુટી ડીડીઓ મોરબી ઉચ્ચ હોદ્દા ફરજ બજાવે છે જે ઓફિસ સમય પહેલા શાળાઓમાં સમય ફાળવી અભ્યાન ચલાવે છે તેમના કાર્ય અને સમાજ પ્રત્યેના સમર્પણને વંદન તેમની સાથે વાત્સલ્યભાઈ ગડારા અને પાર્થભાઈ ગડારા જે જાણીતા ઉધોગપતિ છે તેઓ ઉપસ્થિત રહેલ અને વિધાર્થીઓને વ્યસન મુક્તિ વિષે માર્ગદર્શન આપેલ શાળાના ભુતપૂર્વ વિધાર્થી ડૅનિશ ઝાલરિયા ઉપસ્થિત રહ્યા હતા.

