HomeGujaratમોરબીના શિક્ષક અશોક કાંજીયાને પારિજાત એવોર્ડ, આદર્શ શિક્ષક તરીકે સન્માનિત કરાયા

મોરબીના શિક્ષક અશોક કાંજીયાને પારિજાત એવોર્ડ, આદર્શ શિક્ષક તરીકે સન્માનિત કરાયા

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ઉત્તમ કાર્ય કરતા રાજ્યના 51 પ્રાથમિક શિક્ષકોને પારિજાત પરિવાર દ્વારા સન્માનિત કરવાનો કાર્યક્રમ પર્યાવરણ મંદિર- વસ્ત્રાલ અમદાવાદ ખાતે યોજાયો હતો. સૌ પ્રથમ તમામ સન્માનિત શિક્ષકોના ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સામૈયા કરી કાર્યક્રમ સ્થળે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ 51 આદર્શ શિક્ષકોને પંચામૃત સમાન સન્માન પત્ર, શાલ, પેન, પુસ્તકઅને મીઠાઇ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર ગુજરાતમાંથી શિક્ષણમાં વિશેષ, ઇનોવેટીવ અને સામાજીક ક્ષેત્રે કાર્ય કરતા 3 શિક્ષકોને પારિજાત એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જેમાં મોરબી જિલ્લાના અશોકકુમાર મહાદેવભાઈ કાંજીયાને આદર્શ શિક્ષક અભિવાદન સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ શાળા સમય સિવાયની કામગીરી અને સામાજીક ક્ષેત્રે કરેલા કાર્યો બદલ ગુજરાતના 3 શિક્ષકોને પારિજાત એવોર્ડ આપવામાં આવ્યા હતાં, જે એવોર્ડ પણ અશોકકુમાર કાંજીયાને મળ્યો હતો. આમ તેમને એક સાથે બે એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. 

આ કાર્યક્રમનું આયોજન પારિજાત પરિવાર ફાઉન્ડર માણેકલાલ પટેલ, પી.સી.પટેલ, કિરણબેન શર્મા દ્વારા કરવામાં આવ્યુ હતું. જેમાં અતિથી વિશેષ પૂ. સંત બાલકરામ બાપુ- રમણધામ અમદાવાદ, ડૉ. મહિમનસિંહ ગોહિલ- ઉપનિષદ ભાષ્યકાર એ ખાસ હાજરી આપી હતી.  

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW