મોરબી નજીક આવેલા ઇન્દીરાં નગર ગામમાં રહેતા રવી પરસોત્તમ ભાઈ મનોવાડીયા નામનો ૨૩ વર્ષીય યુવકનુ ગત મોડી રાત્રે ૮ જેટલા શખ્સોએ જૂના ઝઘડાનું મન દુઃખ રાખી અપહરણ કર્યું હતું અને બેલા ગામ તરફ લઈ ગયા હતા જ્યાં આરોપીઓએ ઢોરમાર માર્યો હતો ઘટનાં અંગે યુવકે તેને ભાઈને જાણ કરતા તેના ભાઈએ યુવકને સિવિલ હોસ્પીટલમાં ખસેડયો હતો. સારવાર દરમિયાન તેનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. મોડી રાત્રે મૃતદેહને પૉસ્ટ મોર્ટમ રૂમમાં ખસેડવામાં આવ્યો હતો બના વ અંગે બી ડિવિઝન પોલીસને જાણ થતાં તેઓ હોસ્પીટલ દોડી ગયા હતા અને અપહરણ તમેજ હત્યા ની કલમ અંતર્ગત ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી.

