માળીયા મી તાલુકાના બગસરા ગામે પાણી ની ઊંચી ટાંકી જર્જરીત હાલત માં તંત્ર જાણે અન્ધારામા હોય એવું લાગે છે અને લેખિત રજૂઆત પણ કરેલી પણ આજદિન સુધી કોઈ આ જર્જરીત પાણી ની ઊંચી ટાંકી ના પગથીયા ખુબ જ જર્જરીત છે અને તંત્ર ને જાણ પણ કરેલી છે કે નવી ઊંચી ટાંકી બનાવવાની ગ્રાન્ટ આપો અથવા ડીમોલેસન ની મંજુરી આપો પણ ખોખો દા જાણી રમતા હોય તેવા તંત્ર કામ કરી રહ્યું હોય તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે તો ટાંકી અકસ્માતે પડસે તો જવાબદારી કોની? તેવા સવાલો ગામ પંચાયત તથા ગામલોકો ઊઠાવી રહ્યા છે.

