HomeGujaratમોરબીની વિવિધ કોર્ટમાં લોક અદાલતનું આયોજન, એક દિવસમાં ૫૧૨૫ કેસનો નિકાલ

મોરબીની વિવિધ કોર્ટમાં લોક અદાલતનું આયોજન, એક દિવસમાં ૫૧૨૫ કેસનો નિકાલ

મોરબી જિલ્લા ની તમામ કોર્ટમાં લોક અદાલત નું આયોજન એક દિવસમાં ૬૬૦ કેસનો નિકાલ રું ૧૪.૨૮ કરોડ નું સેટલમેન્ટ રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ (NALSA), નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળના માગદર્શન હેઠળ મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળના ઉપક્રમે જિલ્લા ન્યાયાલય મોરબી તથા તેના તાબા હેઠળ આવેલા વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા (NALSA) ખાતે તા. ૦૯/૧૨/૨૦૨૩ ના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતુ. આ લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ – ૧૯૮૮ અંતર્ગત અકસ્માતને લગતા કેસ, ફોજદારી સમાધાનને લાયક કેસ, નેગોશિયયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ના ક, લગ્ન સંબંધી ફેમેલી કેસ ,મહેસુલના કેસ, ભરણપોષણના કેસ, ટ્રાફીક ઇ-ચલણને લગતા પ્રિ-લીટીગેશનના કેસો ,દિવાની કે ભાડાના, બેન્કના વીજળી તથા પાણીના (NALSA), ચોરી સિવાયના) કેસો સમાધાન માટે મુકવામાં આવેલા હતા. તા. ૦૯/૧૨/૨૦૨૩ ના રોજની લોક અદાલતમાં કુલ ૧૮૩૮ કેસો મુકવામાં આવેલા હતા જે માથી કુ લ ૬૬૦ કેસોનો નિકાલ થયેલ છે અને જેમાં કુલ રૂ.૧૪,૨૮,૯૯,૬૬૩ સમાધાન થકી વસુલ કરવામાં આવેલ છે. થયેલ છે આ ઉપરાંત ટ્રાફીક ઇ-ચલણને લગતા પ્રિ-લીટીગેર્શનના કેસોના રાષ્ટ્રીય લોક અદાલતમાં રાખવામાં આવેલ છે, અને જેના ઇ-ચલણનાં નાણા ઓનલાઇન તથા કોટ માં વસુલવામાં આવેલ હતા. તથા સ્પે. સીટીંગ ઓફ લોક અદાલતમાં કુલ ૨૮૧૬ કેસો મુકવામાં આવેલા હતા અને તેમાંથી કુલ ૨૦૯૧ કેસોનો નિકાલ થયેલ છે. તેમજ પ્રિ-લીટીગેર્શનના કુલ ૨૪૩૬૭ કેસો સમાધાન માટે મુકવામાં આવેલા હતા તેમાંથી કુલ ૨૩૭૪ કેસોનો સમાધાનથી નિકાલ કરી રૂ. ૫૬,૫૯,૨૧૮/- ની વસુલાત કરવામા આવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW