મોરબીના વાવડી ખાતે ચાલી રહેલી મોરારીબાપુની રામ કથામાં આયોજકો દ્વારા સાંજના સમયે થતા ડાયરાના કાર્યક્રમમાં રોજ અલગ અલગ કલાકાર પોતાના કાર્યક્રમ રજુ કરી રહ્યા છે. ત્યારે ગુરુવારે આં કાર્યક્રમમાં દેવાયત ખવડને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ દેવાયત ખવડ દ્વારા અગાઉ સરદાર વલ્લભભાઇ પટેલ વિરુદ્ધ ખોટી ટીપ્પણી કરી હતી જેને લઇ સોશ્યલ મીડિયામાં વિરોધ શરુ થયો હતો ધીમે ધીમે આ વિરોધે મોટું રૂપ લઇ લેતા કાર્યક્રમમાં અણ બનાવ થાય તેવી શક્યતાને ધ્યાને લઇ છેલ્લી ઘડીએ દેવાયત ખવડનો કાર્યક્રમ રદ કરી દીધો હતો અને આજે દેવાયત ખવડને બદલે ધીરુભાઈ સરવૈયાનો હાસ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

