અરબી સમુદ્રમાં સર્જાયેલા બીપરજોય વાવાઝોડાને કચ્છના દરીયા કિનારે ટકરાવવાને ગણતરી ની કલાક બાકી હોય તંત્ર દ્વારા અલગ અલગ સ્થળેથી કાચા મકાન માં રહેતા લોકોના સ્થળાંતર કામગીરી કરી રહી હોય આ દરમિયાન હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશનની ટીમને માહિતી મળી હતી કે ગાંધીધામની કાર્ગો ઝૂંપડીમાં કેટલાંક પરિવાર ખુલ્લામાં હોય અને સ્થળાંતર ની જરૂર હોય જેથી હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા-કચ્છ વિભાગ ની ટીમ દ્રારા ગાંધીધામ કાર્ગો ઝૂંપડી માં રહેતા અલગ અલગ પરિવારના ૨૦૦ લોકોના સ્થળાંતર કરવાની કામગીરી કરી હતી. અને આં તમામ પરીવાર નેમામલતદારની મંજુરી થી એસ વિપી સ્કુલ ખાતે રાખવામાં આવ્યા હતા

હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા-કચ્છ વિભાગ ની ટીમ ને પ્રશાસન દ્વારા સંપૂર્ણ સપોર્ટ મળેલો હતો જેમાં નાયબ મામલતદાર પોલીસ સ્ટાફ , કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

