કેરળના કન્નુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યાલય પર મંગળવારે (12 જુલાઈ, 2022) હુમલો થયો હતો. કહેવામાં આવ્યું હતું કે ત્યાં બોમ્બ ફેંકવામાં આવ્યો હતો, જેના પછી ચારેબાજુ અરાજકતા ફેલાઈ ગઈ હતી.
સમાચાર એજન્સી એએનઆઈએ સ્થાનિક પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે, “કન્નુર જિલ્લાના પયાનુર ખાતે આરએસએસ કાર્યાલય પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ ઘટના આજે સવારે બની હતી. ઘટના દરમિયાન બિલ્ડિંગની બારીઓ પણ તૂટી ગઈ હતી.”

આશ્ચર્યની વાત એ છે કે આ હુમલો ત્યારે થયો જ્યારે પોલીસ સ્ટેશન નજીકમાં છે. બીજેપી નેતા ટોમ વડક્કને એક અંગ્રેજી ચેનલ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે આવા હુમલા રોકવામાં નિષ્ફળ રહેવા માટે સ્થાનિક પ્રશાસન જવાબદાર છે.

