HomeNationalદિલ્હીમાં નવનીત રાણા એ લખાવી ધમકીની ફરિયાદ, જાણો કેમ

દિલ્હીમાં નવનીત રાણા એ લખાવી ધમકીની ફરિયાદ, જાણો કેમ

અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાને ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ મામલામાં સાંસદે નવી દિલ્હીના નોર્થ એવેન્યુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શું છે ફરિયાદ: નવનીત રાણાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમને વારંવાર ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. ધમકી આપનાર વ્યક્તિ કહી રહ્યો છે કે જો તે મહારાષ્ટ્ર આવશે તો તેમને મારી નાખવામાં આવશે.

કુલ 11 કોલ મળ્યા: સાંસદે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે મંગળવારે સાંજે 5.27 વાગ્યાથી 5.47 વાગ્યા સુધી તેમના પર્સનલ મોબાઈલ નંબર પર 11 કોલ આવ્યા હતા, જેમાં એક વ્યક્તિએ તેમની સાથે અયોગ્ય વાત કરી હતી. એટલું જ નહીં, અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આગળ વ્યક્તિએ કહ્યું કે જો તે ફરીથી હનુમાન ચાલીસાનો પાઠ કરશે તો તેને મારી નાખવામાં આવશે. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શું છે વિવાદ: નવનીત રાણા અને તેના પતિ રવિ રાણાની મુંબઈ પોલીસે 23 એપ્રિલે ધરપકડ કરી હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા વાંચવાને લઈને થયેલા વિવાદમાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW