ભરત સિંહ સોલંકી એ રામ મંદિર મુદ્દે ગઈ કાલે જે નિવેદન કર્યું હતું તે બાદ સીઆર પાટીલે સણસણતો જવાબ આ મુદ્દે આપ્યો હતો. સીઆર પાટીલે કહ્યું હતું કે, તાકાત હોય તો અન્ય ધર્મના લોકો વિશે બોલી જુઓ. વડોદરા ખાતે આયોજિક એક કાર્યક્રમની અંદર ભરતસિંહના નિવેદનનો જવાબ સીઆર પાટીલે આપ્યો હતો.
અન્ય ધર્મના લોકો વિશે: ભરતસિંહને મેન્ટલ હોસ્પિટલમાં લઈ જઈને તેમનું ચેકઅપ કરાવવું જોઈએ. તેઓ હિન્દુઓની લાગણી વારંવાર કેમ દુભાવે છે તાકાત હોય તો અન્ય ધર્મના લોકો વિશે બોલીને બતાવે. ભારત સિંહના નિવેદન બાદ સીઆર પાટીલ પ્રદેશ ભાજપ ગુજરાત અધ્યક્ષ આ નિવેદનથી બોખલાયા હતા અને ભરતસિંહને મેન્ટલ હોસ્પિટલમાં ભરતી કરવા માટે કહ્યું હતું. અગાઉ પણ પાટીલે કોંગ્રેસને ડુબતુ ટાઈટનીક કહ્યું હતું.

