સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે શનિવારે રાજ્યના ઉર્જા પ્રધાનનું નામ લીધા વિના વીજ કટોકટીનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે સરકાર સમસ્યાનું કારણ સમજાવવા માટે નહિ નિવારણ માટે હોય છે
સમાજવાદી પાર્ટીના વડાએ શનિવારે એક ટ્વીટ કર્યું છે, જેમાં ઉર્જા મંત્રી એકે શર્મા દ્વારા ટેકનિકલ કારણોસર કેટલાક વીજ ઉત્પાદન એકમો બંધ થવા અંગે ટ્વિટર પર આપેલી માહિતીનો એક ભાગ શેર કર્યો છે. આ ટ્વીટમાં તેમણે કહ્યું કે, ‘સરકાર સમસ્યાનું કારણ જણાવવા માટે નથી, પરંતુ તેને ઉકેલવા માટે છે.’

શર્માએ એક દિવસ પહેલા ટ્વીટ કર્યું હતું કે યુપીમાં કેટલાક વીજ ઉત્પાદન એકમો ટેકનિકલ કારણોસર ઘણા અઠવાડિયાથી બંધ છે, જેમાં હરદુઆગંજ-660 મેગાવોટ, મેજા-660 મેગાવોટ અને બારા-660 મેગાવોટનો સમાવેશ થાય છે.
આ પછી, સપા વડાએ કટાક્ષ કર્યો અને કહ્યું કે સરકાર સમસ્યાનું કારણ જણાવવા માટે નથી, પરંતુ તેને ઉકેલવા માટે છે. શુક્રવારે પણ, અખિલેશ યાદવે, પાવર કટોકટી અંગેના એક નિવેદનમાં, સત્તાધારી ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતા આરોપ લગાવ્યો હતો કે કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના લોકો અઘોષિત વીજ કાપને કારણે બળી રહ્યા છે.તેમણે કહ્યું કે પૂર્વાંચલથી લઈને પશ્ચિમી ઉત્તર પ્રદેશ સુધી લોકો પરેશાની ભોગવી રહ્યા છે અને ગરમી વધવાની સાથે વીજળીનું સંકટ ઘેરાતું જાય છે

