HomeNationalInter Nationalજોક્સ પણ સાચા પડે, ભારતની મીસાઈલ પાકિસ્તાનમાં 124 કિમી દુર પડી

જોક્સ પણ સાચા પડે, ભારતની મીસાઈલ પાકિસ્તાનમાં 124 કિમી દુર પડી

રશિયા-યુક્રેનના યુદ્ધ વખતે શરૂઆતમાં એવા જોક્સ ફરતા થયા હતા કે રશિયા એકાદ મિસાઈલ ભૂલથી પાકિસ્તાનમાં મોકલી દે તો કેવું સારું. એ તો જોક્સ હતા. પણ હકીકતમાં 9મી માર્ચે એવી જ ઘટના બની છે. ઈન્ડિયન આર્મી દ્વારા ભૂલથી એક મિસાઈલ છોડી દેવામાં આવ્યું હતું. આ મિસાઈલ જઈને પાકિસ્તાનમાં પડી હતી. સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર રીતે તેની આજે જાણકારી આપી હતી. મિસાઈલનું મેઈન્ટેનન્સ ચાલતું હતું એ દરમિયાન આ ગફલત થઈ હતી.

પાકિસ્તાને જોકે ગુરુવારે રાતે પોતાના પ્રદેશમાં કોઈ ભારતીય ફ્લાઈંગ ઓબ્જેક્ટ આવ્યાની ફરિયાદ કરી હતી. પાકિસ્તાની ટીની ચેનલ પીટીવી પર એ ઓબ્જેક્ટ ત્રાટકવાનો નકશો પણ રજૂ કર્યો હતો. પાકિસ્તાને જાહેર કરેલી વિગત મુજબ પાકિસ્તાનના ઉત્તર-પૂર્વમાં ભારતની સરહદ પાસે આવેલા ખાનેવાલ જિલ્લાના મિલાન છાનુ નજીક આ ઘટના બની હતી. ભારત સરકારે શરૂઆતમાં આ મુદ્દે મૌન ધરી રાખ્યું હતું. એટલે પાકિસ્તાન સરકારે તુરંત વિરોધ પણ કર્યો હતો.

ઈસ્લામાબાદમાં રહેલા ભારતના એમ્બેસેડર સમક્ષ પાકિસ્તાને વિરોધ નોંધાવ્યો હતો. પાકિસ્તાને જાહેર કરેલી વિગત મુજબ મિસાઈલનો પ્રહાર 9મી માર્ચે સાંજે 6-43 વાગ્યે થયો હતો. પાકિસ્તાનના દાવા મુજબ આ પ્રહાર સુપરસોનિક વેગે થયો હતો. એટલે આ મિસાઈલ જગતના સૌથી ઘાતક મિસાઈલમાં સ્થાન પામતુ બ્રાહ્મોસ હોય એવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. ભારત સરકારે આ અંગે બહુ મર્યાદિત વિગતો જાહેર કરી છે. માટે પાકિસ્તાનના દાવા કેટલા સાચા અને કેટલા ખોટા એ અત્યારે તો નક્કી થઈ શકતું નથી.

ભારત સરકારે આ ભૂલ માટે તુરંત ખેદ વ્યક્તિ કરી લશ્કરી કોર્ટમાં તપાસ આદરી દીધી હતી. આ મિસાઈલ ક્યાંથી રવાના થયું હતું, મિસાઈલ ક્યા પ્રકારનું હતું, પાકિસ્તાનના ક્યા પ્રાંતમાં પ્રહાર થયો હતો વગેરે વિગતો ભારત સરકારે જાહેર કરી ન હતી. ભારતીય સૈન્યની ત્રણેય પાંખમાં રહેલા વિવિધ શસ્ત્રો જરૂર પડે ત્યારે એક સેકન્ડની પણ વાર લગાડ્યા વગર કામ આપી શકે એ માટે સતત તેનું મેન્ટેનન્સ થતું હોય છે. પ્રેક્ટિસ માટે ફાયરિંગ પણ કરવામાં આવતું હોય છે. પરંતુ આ કિસ્સો મેન્ટેનન્સ દરમિયાન ભૂલમાં મિસાઈલ છોડવાનો બન્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW