મોરબી શહેરમાં ત્રાજપર ચોકડી નજીક આવેલા શિવ અંજની કોર્પોરેશન હાઉસ નામના બિલ્ડિંગમાં ગઈકાલે એક દુર્ઘટના સર્જાઈ હતી. બિલ્ડિંગના ઉપરના માળેથી નીચે પટકાતા ગણેશભાઈ માવજીભાઈ (ઉંમર 40) તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને લઈને બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

