HomeGujaratમોરબી નજીક ક્રૂરતા થી બાંધીને લઈ જવાતા 17 જેટલા પાડા ગૌ રક્ષકોએ...

મોરબી નજીક ક્રૂરતા થી બાંધીને લઈ જવાતા 17 જેટલા પાડા ગૌ રક્ષકોએ છોડાવ્યા

કચ્છથી રાજકોટ તરફ જતા એક વાહનમાં ક્રૂરતા પૂર્વક અબોલ જીવને લઈ જવામાં આવતી હોવાની માહિતી મોરબી જિલ્લાની ગૌરક્ષકો ની ટીમને મળી હતી. જે બાદ તેઓએ મોરબીના દલવાડી સર્કલ પાસે વોચ ગોઠવી હતી આ દરમિયાન એક અશોક લેલન કંપનીની દોસ્ત ગાડી ક્યાંથી પસાર થઈ હતી? જેને અટકાવતા તેમાં 17 જેટલા પશુઓ કૂરતાપૂર્વક બંધાયેલા મળ્યા હતા જે બાદ ગૌ રક્ષકોની ટીમને પોલીસને જાણ કરતા મોરબી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આ પશુઓને છોડાવ્યા હતા

મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાની વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને અખિલ ગૌ સંવર્ધન પરિષદ ની ટીમ અને હિન્દુ યુવા વાહીની ની ટીમને બાતમી મળી હતી તે કચ્છ તરફથી આવતી એક અશોક લેલન ગાડી જેના નંબર જીજે 36 વી 3801 છે આ વાહનમાં પશુ અને કૃરતા પૂર્વક બાંધીને રાજકોટ તરફ લઈ જવામાં આવેલી છે આ વાતને આધારે ગૌરક્ષકો ની ટીમ દલવાડી સર્કલ પાસે વોચ ગોઠવી હતી દરમિયાન આ વાહન આવતા તેને અટકાવ્યું હતું અને તેમાં તપાસ કરતા 17 જેટલા નાના મોટા પાડાઓ કુર9ર્તાપૂર્વક બાંધેલા હતા અને તેમાં ઘાસચારો કે પાણીની પણ કોઈપણ પ્રકારની સુવિધાઓ રાખવામાં આવ્યું નથી જેથી આ આ વાહન અટકાવીને પોલીસને જાણ કરતા મોરબી એ ડિવિઝનની પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પશુઓને સુરક્ષિત સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW