મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા લક્ષ્મણભાઈ દેવજીભાઈ પરમાર નામના યુવકને નાનપણથી આંચકીની બીમારી હોય જેથી પોતાની બીમારીના કારણે જીંદગીથી કંટાળી જઈ ગઈકાલના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યો હતો. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે તેના મૃત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.

