જેતપર ખાતે ચાલી રહેલી ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાં આજે ઘુંટુ, જીવાપર, કેશવનગર, વિરાટનગર, રાજસીતાપુર અને જસમતગઢ ગામોના ખેડૂત પરિવારો મોટી સંખ્યામાં જોડાયા છે.
આંદોલનના સમર્થનમાં કુલ 20 ખેડૂત પુત્રો તેમજ 15 બહેનો અને માતાઓ પ્રતિક ઉપવાસ પર બેઠા છે. ઉપરાંત છાવણી ખાતે અંદાજે 700થી વધુ ખેડૂતભાઈઓ, બહેનો અને માતાઓની ઉપસ્થિતિ જોવા મળી રહી છે.
ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈને ચાલી રહેલા આ સત્યાગ્રહને દિવસેને દિવસે વ્યાપક સમર્થન મળી રહ્યું છે અને વિવિધ ગામોના ખેડૂતો એકજૂથ થઈ આંદોલનમાં સહભાગી બની રહ્યા છે.

