છત્રપતિ શિવાજી મહારાજ ના જીવન કથન પર બનેલું સ્ટેજ પર્ફોમન્સ જાણતા રાજા આગામી 2 મે થી 8 મે દરમિયાન મોરબીમાં યોજાશે. મહારાષ્ટ્રની પ્રખ્યાત મંડળી દ્વારા આ નાટક યોજવામાં આવશે મોરબીની માત્ર ભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ભારત માતાના મંદિર નિર્માણના લાભાર્થે આ નાટકનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ લાભ લે તેવું આયોજકો ઇચ્છિ રહ્યા છે મોરબી જિલ્લામાં 2018માં પણ લોકો છત્રપતિ શિવાજી મહારાજની જીવન પર પ્રેરણા લઈ શકે તે માટે આ નાટકનું આયોજન કરાયું હતું જેમાં ૩૨ હજાર લોકોએ તેનો લાભ લીધો હતો અને આ ૩૨ હજાર લોકોની ટિકિટ માંથી થયેલી આવક માંથી જડેશ્વર નજીક જમીન ખરીદવામાં આવી છે ત્યારે આ વર્ષે થનારા નાટકની આવકમાંથી મંદિર નિર્માણના બાંધકામની શરૂઆત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે મહારાષ્ટ્રની પ્રખ્યાત તે જ પરફોર્મન્સ આપતી આ ટીમ દ્વારા અત્યાર સુધીમાં 1203 જેટલા શો કરવામાં આવ્યા છે ત્યારે મોરબીમાં પણ 3000 સ્ક્વેર ફૂટ ના સ્ટેજમાં 350 જેટલા કલાકારો બહારથી આવશે જ્યારે મોરબીના શો કલાકાર આ સ્ટેજ પરફોર્મન્સ નો હિસ્સો બનશે ઘોડા સૈનિક દળ હાથી સહિતના અલગ અલગ પ્રાણીઓ સાથેનો લાઈવ પરફોર્મન્સ નો લોકોને લાભ મળશે ત્યારે મોટી સંખ્યામાં મંદિરના લાભાર્થે લોકો સો જોવા આવે તેવું માતૃભૂમિ વંદના ટ્રસ્ટના મહેશભાઈ ભોરણીયાએ જણાવ્યું હતું