મોરબી નિવાસી અ.સૌ. અનિતાબેન જયેશભાઈ નિમાવતનું તા.5 સપ્ટેમ્બર, 2026ના રોજ શ્રાવણ વદ નોમના દિવસે દુઃખદ અવસાન થયું છે. તેઓ સ્વ. મગનલાલ હીરાદાસ નિમાવતના નાના પુત્ર જયેશભાઈ નિમાવતનાં ધર્મપત્ની તથા નિર્ભય નિમાવત અને વિવેક નિમાવતનાં માતૃ હતાં. સદગત અનિતાબેન સ્વ. ભાનુપ્રસાદ અને સ્વ. જીતેન્દ્રભાઈ નિમાવતના નાના ભાઈનાં ધર્મપત્ની તથા અંકુરભાઈ નિમાવતનાં કાકી હતાં.
તેમનું બેસણું તા.10 સપ્ટેમ્બર, 2026ના રોજ સાંજે 4 થી 6 કલાક દરમિયાન રામ મહેલ મંદિર, દરબારગઢ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું પણ આ સાથે જ રાખવામાં આવ્યું છે.

