મોરબીના કામધેનું પાર્ટી પ્લોટ સામે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના ગેટ પાસે મજુરની ઓરડીમાં રહેતા અને મૂળ યુપીના વતની અમિતસિંહ ગિર્જેશસિંહ રાજપુત નામના યુવાને ગઈકાલના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં પોતાની જાતે ગળે ફાંસો ખાઇ લેતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.