Monday, February 17, 2025
HomeGujaratવાંકાનેરમાં પરણીતાને શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ...

વાંકાનેરમાં પરણીતાને શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ દાખલ

વાંકાનેર પંચાસર રોડ પાસે આવેલ ખોડીયાર સોસાયટીમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ગામે રહેતા કંચનબેન સંજયભાઈ વાઘેલાએ આરોપી સંજયભાઇ પરસોત્તમભાઇ વાઘેલા (પતિ), ચેતનભાઇ પરસોત્તમભાઇ વાઘેલા ( દિયર), કાન્તાબેન પરસોત્તમભાઇ વાઘેલા (સાસુ)વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીને તેના પતિ તથા સાસુ દિયરએ અવાર-નવાર નાની નાની બાબતો તેમજ ઘરકામ બાબતે હેરાન પરેશાન કરી દુ:ખ ત્રાસ આપી શંકા વહેમ કરી મેણાટોણા મારી અવાર-નવાર મારકુટ કરી એકબીજાને ચડામણી કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
48,551FollowersFollow
2,600SubscribersSubscribe

TRENDING NOW