મોરબીના હળવદમાં રહેતો આરોપી સંજયભાઈ રઘુભાઈ રાણેવાડીયા રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે હોય જે આરોપીને વડી કચેરી અમદાવાદના આદેશાનુસાર તા.- 28/06/2024 થી તા.- 13/07/2024 સુધી ફર્લો રજા મેળવી જેલ મુક્ત થયેલ, જે આરોપી તા.-13/07/2024ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ આ પાકા કામનો કેદી ફર્લો રજા પરથી પરત હાજર થયેલ નહિ અને ફરાર થયેલ હોય જે કેદીને બાતમીના આધારે ગઈકાલે ભવાનીનગર લાંબીડેરી ઢોરે હળવદ ખાતેથી એસીબી ટીમે આરોપીને પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરી કાયદેસરની કાર્યવહી હાથ ધરી છે.

