મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બાતમીના આધારે મોરબી સીટી બી ડિવિઝનમા નોંધાયેલ ચોરીના ગુન્હામાં છેલ્લા 6 મહિનાથી નાસતા ફરતા આરોપી નવરત્ન ઉર્ફે નોરતો હનુમાનજી ચોકીદાર રાજસ્થાન વાળાએ અમદાવાદ ઓગણજ સર્કલ હોવાની પેરોલ ફર્લો સ્ક્વોડને માહિતી મળતા તે સ્થળેથી આરોપીને ઝડપી લઈ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને સોપી આપેલ હતો. મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તેની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

