રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે સ્વામી દયાનંદ સરસ્વતીની 200 મી જન્મ જયંતી નિમિતે ટંકારાને નગરપાલિકા બનવાની જાહેરાત કરી હતી જે બાદ શહેરી વિકાસ વિભાગ દ્વારા નોટીફીકેશન પણ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં લાંબા સમયથી ટંકારા નગરપાલિકામાં ચીફ ઓફિસરની નિમણૂંક લટકેલી હતી જેના કારણે ગ્રામ પંચાયતની કામગીરી અટકેલી હતી જોકે હવે શહેરી વિકાસ વિભાગ દ્વારા ટંકારા નગર પાલિકામાં પ્રથમ ચીફ ઓફિસર તરીકે ગીરીશ સરૈયાને ચાર્જ સોપવામાં આવ્યો છે તો વહીવટ દાર તરીકે મામલતદાર કેતન સખીયાને ચાર્જ સોપવામાં આવ્યો છે આ ઉપરાંત મ્યુનિસિપલ ઈજનેર તરીકે વિવેક ગઢિયા જયારે ડે.એકાઉન્ટ તરીકે સોનલબેન કાચાને મુકવામાં આવ્યા છે
ટંકારામાં ચીફ ઓફિસર નિમણુક થતા ટંકારા કલ્યાણનગર અને આર્યનગર એમ ત્રણ ગ્રામ પંચાયતનું અસ્તિત્વ ખતમ થઇ ગયું હવે આ તમામ વિસ્તાર નગરપાલિકાની હદમાં આવી ગયો છે