પર્યાવરણ જતન કરી ગામને હરિયાળું બનાવવા પહેલ કરાઈ
માળિયા મિયાણા તાલુકાના ખીરઈ ગામમાંથી અલગ અસ્તિત્વમાં આવેલા પંચવટી ગામમાં વસતા અને મોરબી વન વિભાગમાં રેંજ ફોરેસ્ટ ઓફીસર તરીકે ફરજ બજાવી નિવૃત થયેલા ફોરેસ્ટર ચમનભાઈ સાણજા એ ગામના યુવાનો નીલેશભાઈ સાણજા રોહિતભાઈ પ્રદીપભાઈ તેમજ પંચવટી યુવા ગ્રુપ સાથે મળી ગામને હરિયાળું બનાવવા પ્રયાસ શરુ કરવામાં આવ્યા છે અને ગામમાં ,મુખ્ય માર્ગો, સરકારી ખરાબા તેમજ બગીચા એમ અલગ અલગ સ્થળો એક સાથે 104 જેટલા વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે અને તેના જતનની જવાબદારી લીધી છે.
ખરઈ ગામ વર્ષોથી પ્રકૃતિની જતન કરતું ગામ રહ્યું છે ભૂતકાળમાં જયારે ગામમાં ઘર દીઠ ત્રણ વૃક્ષ વાવેતર અને તેના જતન કરવાનું ગામ લોકોએ બીડું ઝડપ્યું હતું ને લગભગ 750 જેટલા વૃક્ષનું વાવેતર કરાયું હતું જેમાંથી આજે મોટાભાગાના રોપ ઘટાદાર વૃક્ષ બની ગામને છાયડો આપી રહ્યા છે.