હળવદ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં ઉતકૃષ્ઠ કામગીરી કરનારા અને ચરાડવામા જથ્થાબંધ સીરપનો જથ્થો ઝડપનારા અને તપાસ અધિકારી પીએસઆઈ કિરીટસિંહ જેઠવા વય મર્યાદાના પગલે નિવૃત્ત થતા તેમને અદકેરું ભાવભેર વિદાય આપી હતી તો સાથે કીરીટસિહ જેઠવાએ પોતાની પોલીસ ફરજો દરમિયાન થયેલા ખાટાં મીઠા અનુભવો અને અનુભવમાથી પ્રાપ્ત થયેલા જ્ઞાન વિશે જાણકારી આપી હતી હળવદ પોલીસ મથકે યોજાયેલા વિદાયમાન કાર્યક્રમમાં પીઆઈ આર.ટી વ્યાસ, પીએસઆઇ કેતનભાઈ અંબારીયા,યજ્ઞેશભાઈ વ્યાસે સંભારણા યાદ કરીને તેમજ મોમેન્ટ આપીને પાઘડીયુ સન્માન કર્યું હતું ત્યારે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ જવાનો અને મહિલા કોન્સ્ટેબલો આ વિદાયમાન કાર્યક્રમના સાક્ષી બનીને વિદાય આપી હતી અને નિવૃત્ત જીવન તંદુરસ્તીમય અને આનંદદાયક નિવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તો સાથે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બિપિનભાઈ પરમારની બદલી મોરબી એલસીબી પોલીસમાં થતાં તેઓને છુટા કરવામાં આવ્યા હતા.