મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં નાના બાળકો યુવાનો સહીત 135 લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા 30 ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ ઘટેલી તે દુર્ઘટનાનું સોમવારે એક વર્ષ પૂર્ણ થતા મોરબીમાં વિવિધ સામાજિક આગેવાનો અને સેવાભાવી લોકો દ્વારા પ્રાર્થના સભા અને હવન કરવામાં આવ્યા હતા આવાં જ એક સેવાભાવી યુવાનો એવા કડીવાર બંધુ દ્વારા 51 નાળીયેરમાં કીડ્યારું ભરીને અલગ અલગ સ્થળે ખાડા કરી તેમાં દાટી દેવાયા હતા જેથી અબોલ કીડી તેમજ તેના જેવા જીવને ખોરાક મળી રહે અને કીડીને કીડીયારું પૂરું 135 મૃતક આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી

