રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સર સંઘ સંચાલક મોહન ભાગવત હાલ ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે તેઓ સોમવારે કચ્છ જીલ્લાની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અગ્રણીઓ સાથે મુલાકાત કરી બાદમાં આજે તેઓ કચ્છથી બાય રોડ રાજકોટ એરપોર્ટ જઈ રહ્યા હોય ત્યારે મોરબીમાં પણ તેમનો કાર્યક્રમ અને ટુકું રોકાણ છે મોહન ભાગવત પશ્ચિમ ક્ષેત્રના સરસંઘસંચાલક ડો.જયંતી ભાડેસીયાના નિવાસ સ્થાને પહોચ્યા હતા જ્યાં તેમની સાથે બેઠક યોજશે અને તેમજ બપોરનું ભોજન લેશે મોહન ભાગવત તેમજ આર એસ એસના અગ્રણીને મળ્યા હતા.મોહન ભાગવતના મોરબી મુલાકાતને લઇ તેઓના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો
અંજાર ખાતે યોજાયેલ ત્રી દીવસિય બેઠકનું અંજાર ખાતે આયોજન થયું હતું જેમાં સૌરાષ્ટ્ર કચ્છના 350 આર એસ એસ અગ્રણી જોડાયા હતા આગામી 2025માં આર એસ એસ સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે આ શતાબ્દી મહોત્સવને લઇ ચર્ચા કરવામાં આવી હતી.

