HomeGujaratમોરબી : અરબી સમુદ્નમાં સર્જાયેલ ડીસ્ટર્બન્સ બાદ નવલખી પોર્ટમાં લાગ્યુ એક નંબર...

મોરબી : અરબી સમુદ્નમાં સર્જાયેલ ડીસ્ટર્બન્સ બાદ નવલખી પોર્ટમાં લાગ્યુ એક નંબર સિગ્નલ

સૌરાષ્ટ્ર સહીત રાજ્યભરમાં છેલ્લા 48 કલાકથી વાતાવરણમાં આવેલા પલટો આવ્યો છે રાજ્યના હિલ સ્ટેશન જેવા કે સાપુતારા તેમજ અરવલ્લી જિલ્લાના કેટલાક ગામડામાં તેમજ સૌરાષ્ટ્ર ખાસ કરીને વેરાવળના દરિયાકાઠામાં કમોસમી ઝાપટા પડ્યા હતા તો અરબી સમુદ્રમાં સર્જાયેલ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ બાદ રાજ્યના હવામાન વિભાગની સૂચનાથી મોરબી જિલ્લાના નવલખી બંદર ઉપર એક નંબરનું ભયસુચક સિગ્નલ ચડાવવામાં આવ્યું છે. આ સાથે દરીયામાં માછીમારી કરી રહેલા માછીમારોને સાવચેત રહેવા તંત્ર દ્વારા બોટ એસોસિએશનોને જાણ કરાઈ છે.
રાજ્યના હવામાન વિભાગની સુચનાથી આજે સવારે નવલખી બંદર ઉપર એક નંબરનું ભયસુચક સિગ્નલ ચડાવવામાં આવ્યુ છે. એક નંબરના સિગ્નલ મુજબ દરીયાઈ વાતાવરણમાં પલટો આવવાની સાથે ભારે પવન ફૂંકાવવાની સાથે તોફાની મોજા ઉછળવાની શક્યતાઓ છે. જેને ધ્યાને લઈ માછીમારોએ સાવચેત રહેવું. આ સાથે દરિયામાં માછીમારી કરી રહેલા અને દરિયામાં જનાર તમામ માછીમારોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
મોરબી શહેર અને જીલ્લામાં કાળું સપ્તાહમાં ઠંડીમાં ઘટાડો નોધાયા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હોય તેમ વાદળછાયા સાથે ઠંડીનો લોકો અહેસાસ કરી રહ્યા છે. હજુ બે દિવસ સુધી આવું વાતાવરણ રહેવાની શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW