મોરબી જિલ્લામાં ચોરી લૂંટ અને અન્ય ગુનાહિત કૃત્ય ઘટવાના રેન્જ આઈ જી સંદિપસિંહના દાવા વચ્ચે મંગળવારે મોડી રાત્રે શનાળા રાજકોટ રોડ પર આવેલ ઈકિવિટી હ્યુન્ડાઇના શોરૂમમાં 4 જેટલા તસ્કરએ ધામા નાખ્યા હતા.શો રૂમના ઉપરના માળે ઓફિસની તિજોરીના તાળાં તોડી રૂ.3,55,209ની રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા બીજા દિવસે સવારે કર્મચારીઓ ઓફિસમાં આવ્યા ત્યારે તૂટેલી તિજોરી અને રોકડ રકમ ગાયબ મળતા ચોરી થયાની જાણ થઈ હતી જે બાદ શોરૂમના સિક્યુરિટી ગાર્ડ ધીરુભા અલુભા જાડેજાએ એ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી હતી.

