મોરબી જિલ્લાના જેતપર ગામ સહીત આજુબાજુ વિસ્તારમાં અતિવૃષ્ટિ થતા લીલો દુષ્કાળ જાહેર કરવા જેતપર સેવા સહકારી મંડળી દ્વારા કૃષિ મંત્રી રાધવજી પટેલને રજુઆત કરવામાં આવી હતી
મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાક નાશ પામ્યા છે ત્યારે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ ભાજપના નેતાઓ લીલા દુષ્કાળની માંગ કરી રહ્યા છે ત્યારે હવે મોરબી તાલુકાના જેતપર ગામની આજુબાજુ વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે ખેડૂતોના મગફળી, કપાસ, તલ, અડદ જેવા પાકો વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળતા લીલા દુષ્કાળની માંગ કરવા જેતપર સેવા સહકારી મંડળી દ્રારા કૃષિ મંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરવામાં આવી છે