રાજકોટમાં શુક્રવારે ગૌરવભરી અને વિશાળ તિરંગા યાત્રા યોજાઇ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આ તિરંગા યાત્રાની આગેવાની કરી છે.એમની સાથે શહેરીજન તેમજ ભાજપના કાર્યકર્તા જોડાયા હતા. આ યાત્રામાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા
![](https://indiaexact.com/wp-content/uploads/2022/08/rajkot-2-1.jpg)
બહુમાળી ભવન ચોકથી રાષ્ટ્રીય શાળા સુધી તિરંગા યાત્રા નીકળી હતી. જેમાં ડો. યાજ્ઞિક રોડથી સળંગ આ તિરંગા યાત્રા પસાર થશે. આ યાત્રામાં વિદ્યાર્થીઓ, વેપારીઓ, ધાર્મિક સંસ્થાઓના વડાઓ, સામાજીક આગેવાનો સહિત એકાદ લાખ લોકોને જોડવા કલેકટર અને મનપા તંત્ર તથા શાસક પક્ષે તડામાર તૈયારીઓ કરી હતી.