બુધવારે પીએમ નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવતા હાઈવે પર પીએમનો કાફલો 15થી 20 મિનીટ સુધી રોકાયો હતો. જે બાદ પીએમ ત્યાંથી જ એરપોર્ટ પર પરત ફરી ગયા હતા આ ઘટનામાં પીએમની સુરક્ષા બાબતમાં ગંભીર બેદરકારી થઈ હોવાના ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

ત્યારે પંજાબની કોગ્રેસ સરકાર પર પીએમની સુરક્ષા બાબતમાં બેદરકારીના આક્ષેપ સાથે આજે હળવદ ખાતે ભાજપના કાર્યકરો દ્વારા કોંગ્રેસના પુતળા દહન કરવામાં આવ્યું હતું તેમજ કોંગ્રેસ હાય હાયના નારા લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ અને ભાજપના કાર્યકરો જોડાયા હતા

