દેશમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. તો બીજી તરફ વિદેશથી પરત ફરી રહેલા કોરોનાના કેસો વધારી રહ્યાં છે. આવી જ એક ઘટના આજે અમૃતસર એરપોર્ટ ઉપર ઘટી હતી. જેમાં ઈટાલીથી પંજાબના અમૃતસરમાં આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 125 યાત્રીકો કોરોના પોઝિટીવ આવ્યાં છે.
एक चार्टर्ड फ्लाइट मिलान से अमृतसर पहुंची, जिसमें 179 यात्री थे। 160 लोगों का टेस्ट किया गया और 125 लोग कोरोना पॉजिटिव हैं। कुछ लोगों को यही क्वारंटाइन किया है, बाकि मरीज़ों को उनके ज़िलों में क्वारंटाइन किया जाएगा जिसके लिए टीम काम कर रही है: वी.के. सेठ, एयरपोर्ट निदेशक, अमृतसर pic.twitter.com/5OBDww1Cqu
— ANI_HindiNews (@AHindinews) January 6, 2022
જેના કારણે ચિંતામાં વધારો થયો છે. દેશમાં પહેલી વખત કોઈ ફ્લાઈટમાં આટલી મોટી સંખ્યામાં મુસાફરો કોરોના પોઝિટીવ આવ્યાં હોય તેવી આ પહેલી ઘટના બની છે.

અમૃતસર એરપોર્ટ ડિરેક્ટર વીકે શેઠે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, એર ઈન્ડિયાની ઈટાલી-અમૃતસર ફ્લાઈટમાં 125 યાત્રિકોને કોરોના પોઝિટીવ આવ્યો છે. અમૃતસર એરપોર્ટ ઉપર તે તમામનો ટેસ્ટ કરાયો હતો જેમાં તેઓ પોઝિટીવ આવતા તમામને ક્વોરેન્ટાઈન કરાયા છે.
Correction | 125 passengers of an international chartered flight from Italy have tested positive for Covid-19 on arrival at Amritsar airport. Total passengers on the flight were 179: VK Seth, Amritsar Airport Director pic.twitter.com/AOVtkYmQiy
— ANI (@ANI) January 6, 2022
અમૃતસર એરોપ્ટ ઉપર એર ઈન્ડિયાની ફ્લાઈટના મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ કોરોના પોઝિટીવ નીકળતા રાજ્ય સરકારની ચિંતમાં વધારો થયો છે.

