સામાન્ય રીતે જ્યારે કોઈ રેલવે સ્ટેશન પર જાય ત્યારે પ્લેટફોર્મ પર બંને તરફથી પાટા અને ડાબી-જમણી બાજું લાંબા લાંબા ટ્રેક જોવા મળે છે. આ ઉપરાંત દરેક સ્ટેશન પર જંક્શન કે સ્ટેશનના નામનો ઉલ્લેખ હોય છે. આ સાથે પીળા રંગના બોર્ડ પર કાળા અક્ષરે જંક્શનનું નામ અને લાલ અક્ષરે સમુદ્ર સપાટીથી એની ઊંચાઈ લખેલી હોય છે.

સોમનાથ દર્શન કરવા જાવ ત્યારે આ રેલવે સ્ટેશન જોવા માટે ખાસ જજો. એમાં પણ જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પર આવે ત્યારે ખાસ માર્ક કરતો. જે દિશામાંથી આવી હશે એ જ દિશામાં તે પરત ફરશે. દિવાલ સુધી માત્ર રેલવે એન્જીન કોઈ ટ્રેક ચેન્જ કરવા કે, યુનિટ સ્વીચ કરવા માટે જશે. સોમનાથ રેલવે સ્ટેશન વેસ્ટર્ન રેલવે ટ્રેકનો એન્ડિગ પોઈન્ટ છે. આ ઉપરાંત સોમનાથ રેલવે સ્ટેશનનું બાંધકામ પણ બીજા રેલવે સ્ટેશન કરતા અલગ છે. જાણે કોઈ હેરિટેજ સાઈટની સામે ઊભા હોય એવું ચિત્ર જોવા મળે છે.

આ ઉપરાંત સ્ટેશન પર ખાણી-પીણીના સ્ટોલ અને સ્ટેશન ઓફિસરની કચેરી પણ જોવા મળે છે. પણ આજે એક એવા રેલવે સ્ટેશનની વાત કરવી છે. જે એક તરફથી સંપૂર્ણપણે બંધ છે. હા, રેલવે એન્જીન અહીં આવીને યુટર્ન લઈને ફરી એ જ ટ્રેક પર પરત ફરે છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં સોમનાથ રેલવે સ્ટેશનમાં ટ્રેન જે સાઈડથી એન્ટ્રી લે છે એ જ સાઈડથી એક્ઝિટ કરે છે. સામાન્ય રીતે જ્યારે કોઈ ટ્રેન જે તરફથી આવે એ તરફ પાછી એક્ઝિટ થતી નથી. અહીં તો જે સાઈડથી એન્ટ્રી લે છે એ ટ્રેક પર તે પરત જાય છે. કારણ કે આગળ જવા માટે કોઈ રસ્તો નથી. ટ્રેક નથી.

તમે કહેશો આવો એક ટ્રેક તો દરેક રેલવે સ્ટેશન પર જોવા મળે છે. પણ સોમનાથ રેલવે સ્ટેશન પર સ્ટોપ માટેના બોર્ડ અને આગળ દિવાલ ઊભી કરવામાં આવી છે. કારણ કે, આ રેલવે રૂટમાં આ વેસ્ટર્ન રૂટનો એન્ડિગ પોઈન્ટ છે. એટલે ટ્રેન અહીં આવ્યા બાદ પરત એ જ ટ્રેક પર પરત ફરે છે.