નવી દિલ્હી,શનિવાર
આજે સિંઘુ બોર્ડર પર ખેડૂત સંગઠનોની બેઠક પહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મોટું નિવેદન આપ્યું છે. રાકેશ ટિકૈતે કહ્યું છે કે આશા છે કે આજની બેઠકમાં કોઈ ઉકેલ આવે તેમણે કહ્યું કે આજે સંયુક્ત કિસાન મોરચાની સમગ્ર ટીમ અને તેનાથી સંબંધિત તમામ સંગઠનો સિંઘુ બોર્ડરની બેઠકમાં હાજર રહેશે. તેમણે કહ્યું કે કૃષિ કાયદા સિવાય 4 થી 5 મોટા મુદ્દા છે. તેમાં એમએસપી, ખેડૂતો સામે નોંધાયેલા કેસ, કેન્દ્રીય મંત્રી ટેની સામેની કાર્યવાહી અને સરકાર દ્વારા જપ્ત કરાયેલા ટ્રેક્ટરનો સમાવેશ થાય છે. જો આની પર કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવશે તો આંદોલન ખતમ થઈ જશે.
જણાવી દઈએ કે આ પહેલા શુક્રવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના ઘરે રાજ્ય સરકાર સાથે લાંબી બેઠક યોજાઈ હતી. પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નથી. રાજ્ય સરકારે ખેડૂતો સામે નોંધાયેલ કેસ પાછો ખેંચવા સહિત અન્ય માંગણીઓ પર વિચાર કરવા ખેડૂત આગેવાનોને બોલાવ્યા હતા. પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું ન હતું. ખેડૂત નેતા ગુરનામ સિંહ ચધુનીએ કહ્યું કે આટલી લાંબી બેઠક પછી પણ કોઈ સહમતિ સધાઈ નથી. સરકારે ન તો નરમાઈ બતાવી કે ન તો ગરમી.
આ પછી રાકેશ ટિકૈતનું આ નિવેદન આવ્યું છે. ટિકૈતે કહ્યું છે કે આજે SKMની બેઠકથી થોડી આશા છે. રાકેશ ટિકૈતે કહ્યું કે એક સમિતિ બનાવવાની વાત ચાલી રહી છે, અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આજની બેઠકમાં બિયારણ બિલ, ટ્રેક્ટર, વીજળી, સમિતિની રચના અંગે ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ 4 થી 5 મુદ્દાઓ પર આંદોલન સમાપ્ત થશે. આ અંગે દરેકનો એક જ અભિપ્રાય છે.
ટિકૈતે કહ્યું કે ગઈકાલે હરિયાણા સરકાર સાથે વાતચીત થઈ હતી. પરંતુ કેન્દ્ર સરકાર સાથે કોઈ વાત થઈ ન હતી, અમને અમારા પત્રનો જવાબ પણ મળ્યો નથી. રાકેશ ટિકૈતે કહ્યું કે આશા છે કે કોઈ ઉકેલ આવે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો હતો. પીએમ મોદીના નિવેદનનો ઉલ્લેખ કરતા રાકેત ટિકૈતે કહ્યું કે પીએમએ કહ્યું હતું કે 22મીએ ખેડૂતોની આવક બમણી થશે. તેથી 1લી જાન્યુઆરીથી અમારી આવક બમણી થવા જઈ રહી છે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદાને હટાવ્યા બાદ છેલ્લા એક વર્ષથી દિલ્હીના વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો હવે એમએસપીની ગેરંટી માટે કાયદો બનાવવાની માંગ કરી રહ્યા છે.

