HomeGujaratરેલવે મુસાફરો માટે રાજકોટ સ્ટેશન પર રેપિડો બુકિંગ સેવા શરૂ, મોરબી...

રેલવે મુસાફરો માટે રાજકોટ સ્ટેશન પર રેપિડો બુકિંગ સેવા શરૂ, મોરબી સહિતના સ્ટેશનમાં પણ આયોજનમાં

મુસાફરોને સ્ટેશનથી તેમના ગંતવ્ય સ્થાન સુધી સુરક્ષિત, સુવિધાજનક અને કિફાયતી પરિવહન પૂરું પાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા રાજકોટ રેલવે સ્ટેશનના સર્ક્યુલેટિંગ એરિયામાં રેપિડો કાઉન્ટરની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થાના માધ્યમથી મુસાફરો સ્ટેશન પરિસરથી જ બાઇક, થ્રી-વ્હીલર (ઓટો) તેમજ ફોર-વ્હીલર (કેબ)નું બુકિંગ કરી શકશે.

રાજકોટ સ્ટેશન પર શરૂ કરાયેલી આ સુવિધાથી મુસાફરોને ટ્રેનમાંથી ઉતરતાની સાથે જ પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે ઝડપી અને સરળ પરિવહન ઉપલબ્ધ થશે. સ્ટેશન પરિસરમાં કાર્યરત રેપિડો કાઉન્ટર પર ઉપલબ્ધ સ્ટાફ મુસાફરોને રાઇડ બુકિંગમાં જરૂરી સહયોગ આપશે, જેનાથી તેમની મુસાફરી વધુ સુગમ અને આરામદાયક બનશે.

આ સુવિધા વરિષ્ઠ નાગરિકો, પ્રવાસીઓ, મહિલાઓ, પરિવારો અને અન્ય મુસાફરો માટે વિશેષ રૂપે ફાયદાકારક સાબિત થશે. મુસાફરો પોતાની જરૂરિયાત અને સુવિધા અનુસાર બાઇક, ઓટો કે કેબની પસંદગી કરી શકશે. રાજકોટ સ્ટેશન પરિસરમાં સ્થાપિત રેપિડો કાઉન્ટર અઠવાડિયાના તમામ દિવસોમાં સવારે 6 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધી કાર્યરત રહેશે.

આ પહેલ જાહેર પરિવહનને વધુ આધુનિક, સુલભ અને મુસાફરો માટે અનુકૂળ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. રેપિડો સેવાના માધ્યમથી મુસાફરોને પારદર્શક, વિશ્વસનીય અને વ્યવસ્થિત પરિવહન સુવિધા મળશે, જેનાથી સ્ટેશન પરિસરની પરિવહન વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે અને મુસાફરોને શ્રેષ્ઠ મુસાફરીનો અનુભવ પ્રાપ્ત થશે.

રાજકોટ ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં ભવિષ્યમાં રાજકોટ ડિવિઝનના દ્વારકા, સુરેન્દ્રનગર, જામનગર અને મોરબી સ્ટેશનો પર પણ રેપિડો સુવિધા શરૂ કરવાનું આયોજન છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,420SubscribersSubscribe

TRENDING NOW