માળિયા મિયાણા તાલુકાના વેણાસર ગામની સીમ વિસ્તારમાં ખેતમજૂરી કરી રહેલા મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી રાહુલભાઈ સમીરભાઈ મોહનીયા (ઉંમર 23) નામના યુવાને તા. 20 માર્ચના રોજ પોતાની વાડીમાં અજાણ્યા કારણોસર ઝેરી દવા પી લેતા તેમની તબિયત બગડી ગઈ હતી.
ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક મોરબી સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તા. 27 માર્ચના રોજ તેમનું દુઃખદ અવસાન થયું હતું. આ બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

