મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી સો ઓરડી વિસ્તારમાં રહેતા 55 વર્ષીય ગૌતમભાઈ અમરશીભાઈ સોલંકીએ કોઈ કારણોસર પોતાના નિવાસસ્થાને ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી તેમનું અવસાન થયું છે. આ બનાવ અંગે મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશને મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ શરૂ કરી છે.