મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીક આવેલ એક કારખાનાની લેબર કોલોનીમાં 43 વર્ષીય શ્રમિકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
માહિતી મુજબ, કૈલાશ નળિયાના કારખાનામાં રહીને કામ કરતા ધનજીભાઈ દેવાભાઈ ધૂમડા (ઉ.વ. 43) એ ગત તા. 22ના રોજ કોઈ અજાણ્યા કારણોસર લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા સાથી કામદારોમાં ચકચાર મચી ગઈ હતી.
ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી લેવામાં આવી છે અને આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે મૃતદેહને કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે તપાસ ચાલુ રાખી છે.

