મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં તા. 02/01/2026 શુક્રવારના રોજ મેઇન્ટેનન્સ તથા નવી લાઇન ઊભી કરવાની કામગીરીને પગલે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.
જેમાં આત્મજ્યોત જેજીવાય ફીડરમાં સવારે 8 થી સાંજ ના 6 વાગ્યા સુધી વીજકાપ રહેશે. આ ફીડરમાં આવતા ગામો જેવા કે રવાપર નદી, તેમજ રોડ ઉપર આવતા કોમ્પ્લેક્ષો માં તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય ,ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે.

