મોરબીના દેવ સત્ય ધર્મ લાભ સોસાયટીમાં રહેતા અને ઇન્સ્યુરન્સ એજન્ટ નીરવકુમાર નરેશભાઇ કુકરવાડીયા નામની વ્યક્તિના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ટેલીગ્રામ એપ્લીકેશન ઉપર અલગ અલગ ટેલીગ્રામ યુઝર પ્રોફાઇલ બનાવી તેમાં ઓન લાઇન ટાસ્ક પુરા કરી મોટા આર્થિક ફાયદા મેળવવા અંગે લલચામણી લોભામણી સ્ક્રીમ આપવામાં આવી હતી જે બાદ બાબતે મેસેજ, વાતચિત કરવામાં આવી હતી અને ફરીયાદીનો ભરોસો કેળવ્યો હતો લોભામણી સ્કીમની લાલચમાં આવેલા નીરવભાઈ અલગ અલગ બેન્ક એકાઉન્ટ (1) SBI Bank – 20299392949 (2) HDFC Bank- 50100577527396 (3) HDFC Bank-50200105885052 વાળાઓમાં અલગ અલગ સમયે રૂ 27.57 લાખ જમા કરાવી લીધા હતા જોકે બાદમાં નીરવ ભાઈએ રોકાણના નાણા પરત માંગતા શરુઆતમાં અલગ અલગ બહાના કર્યા બાદ તેમના નંબર બંધ કરી દીધા હતા જેથી નીરવભાઈને છેતરપીંડીનો અનુભવ થતા) Priya Nanda Kumar (@Nandakil_NSE) જેના મો.નં. 9790564977,Promila Devi (@Promila_Devi_222), Devendra(@Devendra989), Sanjay Kapoor (@CFO_Department_5652),Arjun Prasad (@Arjun_Prasad11223 વગેરે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી આ ફરિયાદ આધારે પોલીસે 2025 ભારતિય ન્યાય સહિંતા 2023 ની કલમ 318 (4), 54 તથા ઇન્ફર્મેસન ટેકનોલોજી-2000 ના કાયદાની કલમ- 66 (સી),66 (ડી) મુજબ ગુન્હો નોધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી

