પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે આજે માલવાહક રોપવે તૂટી પડવાની ઘટના બની છે. જેમાં 6 લોકોના મોત થયા છે. રોપવેનું દોરડું તૂટી પડતાં આ દુર્ઘટના સર્જાઇ છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ દુર્ઘટનામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો ચાલુ છે.

