હળવદના ખારીવાડી વિસ્તારમાં રહેતા ખોળાભાઈ રમેશભાઈ ટોટાએ આરોપી ગુરમુખસીંગ ભાદા અને મહેન્દ્રસિંહ બંગા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી ખોળાભાઈ પોતાનું છોટા-હાથી હળવદ ખારીવાડી માંથી ગાય ભરી રાણેકપર ગામ જતા હતા, ત્યારે મહર્ષી ગુરૂકુળના ગેટ પાસે રાણેકપર ગામ તરફ થી એક બોલેરો પીઅકપ આવેલ અને આરોપીઓએ ખોળાભાઈના છોટા-હાથી ઉપર પથ્થર મારવા લાગતા છોટા-હાથીનો આગળનો કાંચ તૂટી જતા ખોડાભાઇ રબારી છોટા-હાથી ઉભુ રાખી દેતા ખોડાભાઇને પથ્થર વાગી જતા મુંઢ ઇજા પહોચાડી બોલેરો ગાડી લઇ આરોપીઓ ઘટના સ્થળેથી નાસી ગયા હતા.

