HomeGujaratવાંકાનેરના પ્રતાપગઢ ગામે અજાણ્યા ઈસમોએ પવનચક્કીનો દરવાજો તોડી કોપરની ચોરી કરી

વાંકાનેરના પ્રતાપગઢ ગામે અજાણ્યા ઈસમોએ પવનચક્કીનો દરવાજો તોડી કોપરની ચોરી કરી

વાંકાનેરના પ્રતાપગઢ ગામે રહેતા યાકુબભાઈ શેરસીયાએ અજાણ્યા ઈસમો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, ગત તા.-9 મેના રોજ રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમો પ્રતાપગઢ ગામની સીમમાં આવેલ ભંગડાના તળાવ પાસે આવેલ આઈનોક્ષ કંપનીની PRT-02 લોકેશનમાં આવેલ પવનચક્કીના ગેટનો નકુચો તોડીને કન્વટર કેબીનમાંથી આશરે 250 કિલોગ્રામ કોપર બસ બાર તેમજ અર્થીગનો કોપર કેબલ આશરે 110 મીટર જેટલો અલગ-અલગ સાઈજનો જેનો વજન આશરે 50 કિલો આમ કોપરનો કુલ વજન 290 કિલો તથા આઈસોલેટર હેન્ડલ તથા ટ્રાન્સફોરમરની પાછળ આવેલ કોપરની પટ્ટી વિગેરેની કુલ રૂ.- 65000ના મુદામાલની ચોરી કરી તેમજ પવનચક્કીની પેનલમાં તોડફોડ કરી આશરે કિ રૂ.- 5000નું નુકશાન કરી નાસી ગયા હતા. આ બનાવ અંગે ફરિયાદીની ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો દાખલ કરી તેને પકડી એવા તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW